સી આઈ ડી ક્રાઈમ ૩૧-૫-૦૯ના રોજ શ્યામલ ચાર રસ્તા નજીકથી જાડેજા, તેની પત્ની નીતુ હાકમ ખોજા, તુકારામ ભુઠ્ઠા અને ગુલામને પોણા બે કરોડ સાથે પકડયા હતા..! વહાણવટી સીકોતર માતાના નામે ૯ રાજ્યોમાં પથરાયેલા ૯ લાખ લોકોને એકના ત્રણ ગણાના સ્વપના દેખાડી રૂ ૬૫૦ કરોડનું કૌભાંડ આચરનાર મહાઠગ અશોક જાડેજા, જુદા જુદા કેસોમાં સતત એક વર્ષ સુધી રિમાન્ડ પર રહેનારો ગુજરાતનો પહેલો આરોપી બન્યો છે..!
- ૩૧મી મે, ૨૦૦૯થી સીઆઈડીની કસ્ટડીમાં રહેવાનો જાડેજાનો રેકોર્ડ
- સતત એક વર્ષથી સતત રિમાન્ડ લેવાનો સીઆઈડીનો પણ રેકોર્ડ
- પહેલી જૂન ‘૧૦ના રોજ જાડેજાના રિમાન્ડને પણ એક વર્ષ પૂર્ણ થશે
- અન્ય ત્રણ સાગરીતો પણ એક વર્ષથી સીઆઈડી ક્રાઈમની કસ્ટડીમાં
- નવ રાજ્યની પોલીસ જાડેજાની પૂછપરછ કરવા રાહ જોઈ રહી છે
સી આઈ ડી ક્રાઈમના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતના સૌથી મોટા ભેજાબાજ ઠગ તરીકે ઉભરી આવેલા જાડેજા સામે મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, જમ્મુ કાશ્મિર, રાજસ્થાન અને ગુજરાત સહીત ૯ રાજ્યોમાં છેતરપીંડીના અનેક કેસો નોંધાયેલા છે. જે પૈકીના ૪૪ કેસો તો ગુજરાત સી આઈ ડી ક્રાઈમ પાસે જ છે..! અત્યાર સુધી સી આઈ ડી ક્રાઈમે કુલ ૮ મહિલાઓ સહીત કુલ ૩૭ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ૨૦થી વધુ આરોપીઓ હજી પણ ફરાર છે.
પોલીસ કહે છે કે જાડેજા સામે અન્યો રાજ્યોમાં પણ કેસો નોંધાયેલા હોવાથી ગુજરાત પોલીસના રિમાન્ડ પુરા થતાં જ જે તે રાજ્યોની પોલીસ અશોક જાડેજાને પોતાની કસ્ટડીમાં લઈ લેશે. તેથી હજી એકાદ વર્ષ સુધીના ભારત ભ્રમણ દરમિયાન તે રિમાન્ડ પર રહેશે તેવી સંભાવના છે. જો કે બીજી બાજુ જાડેજાએ તેની સામે તમામ કેસો ગુજરાત સી આઈ ડી ક્રાઈમમાં ટ્રાન્સફર કરવા અદાલતના દ્વાર ખખડાવ્યા છે. જો કે અદાલત તેની અરજી મંજુર રાખે તો જાડેજા એન્ડ કુંપની ભારત ભ્રમણની મહાયાતનામાંથી બચી શકે એમ છે.
આ આરોપીઓમાં આઠથી નવ મહિલાનો સમાવેશ થાય છે. આ દરમિયાન હાકમ છારા સીઆઈડી ક્રાઈમની કસ્ટડીમાંથી શંકાસ્પદ રીતે ફરાર થઈ ગયો હતો. પરંતુ જાડેજા અને તેના અન્ય બે સાગરિત સતત એક વર્ષથી સીઆઈડીની કસ્ટડીમાં છે. આ ત્રણેય આરોપીઓના સતત લંબાઈ રહેલા રિમાન્ડને પહેલી જૂન, ૨૦૧૦ના રોજ એક વર્ષ પૂર્ણ થશે.
જોગાનુજાગ સીઆઇડી ક્રાઇમના એડિશનલ ડીજી વી.વી. રબારી ૩૧મી મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે, અને આ જ દિવસે જાડેજાની ધરપકડને પણ એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. નોંધનીય છે કે, આ કૌભાંડની તપાસમાં સુપરવિઝન ઓફિસર તરીકે ડીવાયએસપી આર. કે. પટેલ સતત એક વર્ષથી ફરજ બજાવી રહ્યા છે જયારે તપાસ અધિકારી તરીકે પીઆઇ ટી. એન. મલેક છે. સીઆઈડી ક્રાઈમ હાલ આ કેસમાં ૪૪ ફરિયાદની તપાસ કરી રહી છે. જેમાં અત્યાર સુધી તબક્કાવાર કુલ રૃ. ૭૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ કેસની તપાસ ચાલુ છે અને અન્ય રાજ્યોની પોલીસ પણ અશોક જાડેજા અને તેના સાગરિતોની પૂછપરછ કરવા રાહ જોઈ રહી છે. આમ અશોક જાડેજાના રિમાન્ડ હજુ પણ વધી શકે છે.
રાજસ્થાનના અનેક રાજકારણીઓ અને પોલીસ કર્મચારીઓના નામ ખૂલ્યા હતા..!
અશોક જાડેજાના નાર્કો ટેસ્ટ દરમિયાન રાજસ્થાનના અનેક રાજકારણીઓ અને પોલીસ કર્મચારીઓએ જાડેજાનો ઉપયોગ કરીને એકના ત્રણ કર્યા હોવાનો ખુલાશો થયો હતો. કેટલાક તો તે પૈસાથી સ્થાનિક ચુંટણી પણ લડયા હોવાની ચર્ચા લોકોમાંથી થતી હતી.
જાડેજાની તપાસ નિષ્ઠાપૂર્વક થઈ હોવાનો અમને ગર્વ છે : પોલીસ વડા
પોલીસ વડા એસ એસ ખંડવાવાલાએ પણ કબૂલ્યું હતું કે જુદા જુદા કેસોમાં સતત એક વર્ષ સુધી રિમાન્ડ પર રહેનારો ગુજરાતનો પ્રથમ આરોપી અશોક જાડેજા છે. બીજા નંબરે, શહેરમાં સિરિયલ બ્લાસ્ટ કરવાના આરોપસર ૧૭ કેસોમાં પકડાયેલા ઈન્ડીયાન મુજાહીદ્દીનના કથીત આતંકવાદીઓ છે, કે જેમણે ૧૫૦થી વધુ દિવસના રિમાન્ડનો સામનો કર્યો હતો.

No comments:
Post a Comment