Wednesday, August 11, 2010

કોર્ટ : અમિત શાહની જામીનઅરજીની સુનવણી ૧૭મીએ.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટરકેસમાં અમિત શાહની જામીનઅરજીની સુનાવણી ૧૭મી પર ટળી છે.

છેલ્લા ૧૭ દિવસથી જેલમાં રહેલા અમિત શાહે જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેની બુધવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન અમિત શાહના એડ્વોકેટ મીતેશ અમીને સ્પેશિયલ સીબીઆઇ જજ જી.કે.ઉપાધ્યાય સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમના સિનિયર એડ્વોકેટ રામ જેઠમલાણી આજે હાજર રહી શકે તેમ નથી માટે તેમને જામીનઅરજી બાબતે રજૂઆત કરવા અન્ય તારીખની મુદત આપવી.

અમિત શાહે સીબીઆઇ સ્પેશિયલ કોર્ટમાં જામીન મેળવવા માટે જે અરજી કરી છે, તેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે, અરજદારના સિનિયર એડવોકેટ રામ જેઠમલાણી હાજર ન રહેતા આ અરજીની વધુ સુનાવણી ૧૭મી ઓગસ્ટના રોજ યોજાશે તેમ સીબીઆઇ સ્પેશિયલ જજ જી.કે.ઉપાધ્યાયે આદેશ કર્યો છે. આજે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમિત શાહના એડવોકેટ મિતેશ અમીને રજૂઆત કરી હતી કે, તેમના સિનિયર એડવોકેટ રામ જેઠમલાણી આજે હાજર રહી શકે તેમ નથી, માટે તેમને આવતા અઠવાડિયાની કોઇ પણ તારીખની મુદત આપવી. આ મામલે સીબીઆઇ કોર્ટે સીબીઆઇ એડવોકેટ એઝાઝ ખાન અને રૃબાબુદ્દીનના એડવોકેટને સાંભળી અમિત શાહની રિમાન્ડ અરજી પર ૧૭મી ઓગસ્ટે વધુ સુનાવણી રાખવાનો આદેશ કર્યો હતો.

No comments:

Post a Comment