અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વીતી મોડી રાત્રે દશામાના ગરબા જોવા નિમિત્તે ઠાકોર તથા રબારીઓ વચ્ચે જૂથ અથડમણ થઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાટલોડિયાના હિરાબાગ ચાર રસ્તા પાસે દશામાના વ્રત પૂર્ણ થવાના પ્રસંગે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક રબારી યુવકોએ પાણીનો ખાલી જગ હવામાં ઉછાળ્યો હતો. તેથી કમલેશ ઠાકોર નામના વ્યક્તિએ રબારી યુવકોને કહ્યુ કે તેઓ દશામાના ગરબા ચાલેથી તેથી આવી હરકતો ન કરે. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી અને રબારી યુવકોએ કમલેશ ઠાકોર તથા અન્ય એક વ્યક્તિ સાથે મારઝૂડ કરી હતી. ત્યાર બાદ આ મામલે વધુ માથાકૂટ થતાં રબારી અને ઠાકોર જ્ઞાતિના યુવકો આમને-સામને આવી ગયા હતાં. જૂથ અથડામણમાં પાંચ બાઈક અને એક સાઈકલને આગને હવાલે કરવામાં આવી હતી. ઠાકોર યુવકોનો આક્ષેપ છે કે રબારીઓએ બાઈકો તથા સાઈકલને આગ ચાંપી હતી.
જો કે આ દ્રશ્ય જોઇ કમલેશના સગા સબંધી દોડી આવતા રબારી યુવાનો ભાગ્યા હતા અને નજીકમાં પડેલી બાઈકોની પેટ્રોલની પાઈપો કાઢીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ અંગે હરેશભાઇ અંબારામ મેરાજી ઠાકોરની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે ૨૦ થી ૨૫ રબારી યુવાનો વિરુધ્ધ ગુનો નોંધી ચાર જણાંની ધરપકડ કરી છે. જેમાં અમૃત ગોવા રબારી, દિનેશ પ્રભાત રબારી,દેવરાજ શરતાનભાઇ રબારી અને રઘુ ગોવા રબારીનો સમાવેશ થાય છે.

No comments:
Post a Comment