- સમગ્ર રાજ્યમાં લગ્ન સહિતના શુભ પ્રસંગોની ભરમાર રહેશે
- મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, સમાજવાડી, બેન્ડવાજાં, ફોટોગ્રાફરો વગેરેને પણ તડાકો
સમગ્ર ગુજરાતમાં આજે વસંત પંચમીના રોજ હજારોની સંખ્યામાં લગ્ન યોજાઈ રહ્યાં છે. લગ્ન માટે વસંતપંચમી શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં લગ્ન સહિતના શુભ પ્રસંગોની ભરમાર રહેશે.
આજે ૮મી ફેબ્રુઆરીએ, મહા સુદ પાંચમ છે, જે વસંત-પંચમી, શ્રી પંચમી તરીકે ઓળખાય છે. આ દિવસમાં શુભ કાર્યો કરવા લોકો કાગડોળે રાહ જોતા હોય છે.
એક અંદાજે વસંત પંચમીના શ્રેષ્ઠ અને શુભ મૂર્હૂતમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં અંદાજે બે હજારથી વધારે લગ્ન યોજાશે. એક જ દિવસમાં શુભ પ્રસંગોની ભરમાર થતાં મેરેજ હોલ, રસોઇયા, બેન્ડવાળાના એડવાન્સ બુકિંગ કરાવવા પ્રસંગો યોજનારને દોડધામ કરવી પડી રહી છે.
એક દિવસે વધારે સંખ્યામાં લગ્ન હોવાથી મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, સમાજવાડી, બેન્ડવાજાં, ફોટોગ્રાફરો વગેરેને પણ તડાકો પડ્યો હતો. એક દિવસે વધારે સંખ્યામાં વરઘોડા નીકળવાને કારણે અનેક સ્થળોએ ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.
No comments:
Post a Comment